નયારા એનર્જી દ્વારા દ્વારકામાં જળ સંસાધન વ્યવસ્થાપનને વધારી વિશ્વ જળ દિવસની ઉજવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 15 ગામોને આ પહેલથી ફાયદો મળ્યો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : નયારા એનર્જી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળ સંસાધન વ્યવસ્થાપનને વધારી વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના 15 ગામોને આ પહેલથી ફાયદો મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળ સંસાધન વ્યવસ્થાપનને વધારી વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ હતી. કંપની જે સ્થળે કાર્યરત છે તે સ્થળોના સામાજિક-આર્થિક વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા માટે જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં મૂલ્યાંકન કરી શકાય તેવું પરિણામ મેળવવા માટે અવિરતપણે કામ કરી રહી છે.

આ પ્રદેશમાં જળ સંસાધન વ્યવસ્થાપન એ નયારા એનર્જીના કાર્યોમાં સૌથી નિર્ણાયક અને મહત્વપૂર્ણ ઘટકો પૈકીનું એક મુખ્ય કાર્ય છે. વર્ષ 2014-15 માં નયારા એનર્જીએ આ પ્રોજેક્ટ માટે ૧૫ ગામોમાં જીઓ-હાઇડ્રોલોજિકલ સ્ટડી અને એક્વીફર મેપિંગનું કાર્ય હાથ ધર્યું હતું. અભ્યાસના તારણ મુજબ, હાથ ધરાયેલા પ્રોજેકટ ગામોમાં જરૂરી ખેતી અને રહેણાંકની માંગને પહોંચી વળવા માટે લગભગ 44.0 મિલિયન ક્યુબિક મીટર પાણીની ખાદ્ય હતી. આ જરૂરિયાતને પહોંચી વળવા અને પુરવઠો સુનિશ્ચિત કરવા માટે નયારા એનર્જીએ સૂક્ષ્મ સિંચાઈના સંવર્ધન દ્વારા જળસંચય માટે માળખાકીય બાંધકામ અને નવીનીકરણ, ભૂગર્ભજળને રિચાર્જ કરવું અને પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ થઇ શકે એ માટે સંકલિત અભિગમ અપનાવ્યો છે.

આ પહેલ અંગે નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. એલોઈસ વિરાગે જણાવ્યું હતું કે, “એક જવાબદાર ઉદ્યોગગૃહ તરીકે, નયારા એનર્જી વાડીનાર રિફાઇનરી અને તેની આજુબાજુના સમાજના સામાજિક-આર્થિક ઉત્થાન માટે અવિરત પણે કામ કરી રહી છે. છેલ્લા કેટલાંક વર્ષોથી અમે આ ક્ષેત્રના લોકોને લાભ પહોંચાડવા માટે મજબૂત હિતધારક ભાગીદારી અને સામાજિક જવાબદારીઓના વ્યૂહાત્મક સંકલનના માધ્યમથી સતત વિકાસ કાર્યોનું સમર્થન કર્યું છે. અમે સ્થાયી આજીવિકાની તક, પ્રભાવી જળ સંસાધન વ્યવસ્થાપનના ઉકેલ અને સ્થાનિક સમાજના સમૃદ્ધ નિર્માણ માટે સમાવેશી વિકાસ સાથે સકારાત્મક પ્રભાવ લાવવાની દિશામાં સતત કામ કરી રહ્યા છીએ.”

જાન્યુઆરી 2022 સુધીમાં નયારા એનર્જીએ 649 કુવાઓનું નિર્માણ અને નવીનીકરણ કર્યું છે જેમાં બોરવેલ રિચાર્જ, ખુલ્લા કૂવા રિચાર્જ, નવા ચેકડેમ, ઊંડા બાંધકામોની સરંચના કરી પીવાના પાણીના સંગ્રહ અને વિતરણમાં સુધારો કરવો, ખેત તળાવો, ખેતરના આઉટલેટ્સ તથા જળ સંગ્રહ અને 642 હેક્ટર જમીનમાં સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કંપનીએ 14.23 મિલિયન ક્યુબિક મીટર પાણી બચાવવાની સાથે જળ સંગ્રહ અને રિચાર્જ ક્ષમતાનું સર્જન પણ કર્યું છે. પરિણામ સ્વરૂપ કંપનીએ 2014ની સિંચાઈ ક્ષમતા જે 1244 હેક્ટર હતી તેમાં વધારો કરી જાન્યુઆરી 2022માં 4801 હેક્ટરે પહોંચાડી છે.

નયારા એનર્જી વિશે:

નયારા એનર્જી એ એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને આંતરરાષ્ટ્રીય સ્કેલની પેટ્રોકેમિકલ્સ કંપની છે, જેમાં હાઈડ્રોકાર્બન મૂલ્ય સાંકળની સુધારણાથી લઈને રિટેલમાં મજબૂત હાજરી છે. ઓગષ્ટ 2017 માં, ભારતીય કંપનીને રોઝેફ્ટ ઓઇલ કંપની, વૈશ્વિક કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને આ રોકાણ કન્સોર્ટિયમ હતું. કંપની હાલના 20 એમએમટીપીએની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનાર ખાતે ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનરી ધરાવે છે અને ચલાવે છે. રિફાઇનરી એ વિશ્વની સૌથી આધુનિક રિફાઈનરીઓમાંની એક છે જેનો નેલ્સન જટિલતા સૂચકાંક 11.8 છે અને તે બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ દ્વારા પૂરક છે. નયારા એનર્જી વિશે વધુ માહિતી http://www.nayaraenergy.com પર ઉપલબ્ધ છે.