દ્વારકાના જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો.

દ્વારકાના જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા મહાજન વાડીમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ 63 દર્દીઓએ લાભ લીધો હતો. હઠીલા રોગના નિષ્ણાત હોમિયોપેથીક ડો. કાર્તિક અઢિયા દ્વારા દર્દીઓને તપાસી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે કે. જી. હિંડોચા, અશ્વિનભાઈ ગોકાણી, અમિતભાઇ થોભાણી, પ્રતાપભાઈ દામાણી એ જહેમત ઉઠાવી હોવાનું અશ્વિન ગોકાણીની યાદીમાં જણાવાયું છે.