શહીદ દિન નિમિત્તે ખંભાળિયામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દર વર્ષે તા. 23 માર્ચના રોજ ઉજવાતા શહીદ દિવસ નિમિત્તે આ વખતે ગઈકાલે બુધવારે ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલા શહીદ ભગતસિંહ ચોક ખાતે ક્રાંતિ યુવા મંચ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ક્રાંતિ યુવા મંચનવ કાર્યકરોએ શહીદ વીર જવાનોને પુષ્પ વડે અંજલી અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.