(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભારતની આઝાદી માટે નોંધપાત્ર લડત આપી શહીદ થનારા ભગતસિંહને હંમેશા આખો દેશ યાદ કરે છે. આના અનુસંધાને દર વર્ષે 23 માર્ચના રોજ શહીદ દિનની પણ મનાવવામાં આવે છે. નાની ઉંમરમાં શહીદી વહોરનારા શહીદ ભગતસિંહની એક પ્રતિમા ખંભાળિયામાં પણ મૂકવામાં આવે તેવી માંગણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ સુમિત મકવાણા દ્વારા ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવીને કરવામાં આવી છે.અહીંના ચાર રસ્તા, રેલવે સ્ટેશન અથવા નગર ગેઈટ પૈકી કોઈ પણ એક વિસ્તારમાં શહીદ ભગતસિંહની પ્રતિમા મૂકવા માટેની માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામા સંભવત: યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા
ચાઈલ્ડલાઈન અને અભયમ દ્વારા કાર્યવાહી કરાઈ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામા સંભવિત રીતે યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા હતા. જેમાં ચાઈલ્ડ લાઈન અને અભયમ...
દ્વારકા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનું હિરજીબાપા માધ્યમિક શાળામાં આયોજન
(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખેલ મહાકુંભ અંતર્ગત દ્વારકા તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું હિરજીબાપા માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 2022 અંતર્ગત દ્વારકા તાલુકા...
ખંભાળિયામાં મળી આવેલ મીઠાપુરના રહેવાસી વૃદ્ધના પુત્રીની શોધખોળ
(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખંભાળિયામાં મળી આવેલ મીઠાપુરના રહેવાસી વૃદ્ધના પુત્રીની શોધખોળ કરવામાં આવી રહી છે. આશરે 80 વર્ષના વૃદ્ધ ગત રવિવારે તા. 20/03/2022 ના...