ખંભાળિયા : મુકેશભાઈ નારણદાસ પાબારીનું અવસાન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. નટવરલાલ નારણદાસ પાબારીના (સલાયા વારા) પુત્ર મુકેશભાઈ પાબારી (જલારામ નોવેલ્ટીવાળા) (ઉ.વ. 61) તે દિલીપભાઈના મોટાભાઈ તેમજ નીરવ અને લખનના પિતાશ્રી તથા મીનાબેન દતાણી, ચેતનાબેન ગોકાણી અને વિભાબેન તન્નાના ભાઈ તેમજ નીવ અને અવધના દાદા તથા સ્વ. છગનલાલ જમનાદાસ બદિયાણીના જમાઈ શુક્રવાર તારીખ 25 મીના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી શનિવાર તારીખ 26 મીના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.