ખાખરડા : વનિતાબેન મોનજીભાઈ વડગામાનું અવસાન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: મુળ ખાખરડાના રહીશ અને હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુતાર મોનજીભાઈ ગોરધનભાઈ વડગામાના ધર્મપત્ની વનિતાબેન (ઉ.વ.૭૮) તે નરેન્દ્રભાઇ, સ્વ. સુભાષભાઈ, જીતેશભાઈ તથા સંજયભાઈના માતૃશ્રી, તેમજ લાલજીભાઈ ગોવિંદભાઈ ગોરીચા (નવી હરીપર વાળા)ના પુત્રી તા. ૨૫ ના રોજ રાજકોટ મુકામે અવસાન પામ્યા છે. સદગતનું બેસણું શનીવાર તા. ૨૬ ના રોજ રાજકોટ ખાતેના તેમના નિવાસસ્થાન માધાપર ચોકડી, મોરબી રોડ, સુન્દરમ્ સીટી, બી- ટાવર ખાતે સાંજે ૫ થી ૬ સુઘી રાખવામાં આવેલ છે. જ્યારે ખંભાળિયા મુકામે સોમવાર તા. ૨૮ ના રોજ સ્ટેશન રોડ પર આવેલી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી ખાતે સાંજે ૫ થી ૬ વાગ્યા રાખવામાં આવેલ છે.