ખંભાળિયામાં ભાજપના યુવા મોરચા દ્વારા શહીદ દિનની ઉજવણી કરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં ભાજપના યુવા મોરચા દ્વારા શહીદ દિનની ઉજવણી કરાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ દ્વારા તાજેતરમાં શહીદ દિન નિમિત્તે ખંભાળિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ભગતસિંહ, રાજ્યગુરુ સહિતના શહીદોની તસવીરોનો પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આટલું જ નહીં આઝાદી માટે અનેક શહીદોના યોગદાન તથા બલિદાનને યાદ કરી, શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર સાથે મોહિત પંડ્યા, દિલીપભાઈ ઘઘડા, ઇન્દ્રજીતસિંહ પરમાર, મયુરભાઈ ધોરીયા, મોહિત મોટાણી સહિતના આગેવાનો-કાર્યકરો જોડાયા હતા.