પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ખંભાળિયામાં આજે રાત્રે સત્સંગ કાર્યક્રમ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ખંભાળિયામાં આજે રાત્રે જાહેર સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો.

ભારત વર્ષના ઇતિહાસમાં થઈ ગયેલા મહાન સંતોની પરંપરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી અને વિશ્વ વંદનીય વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હાલ ઉજવવામાં આવી રહેલા જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે ખંભાળિયામાં આજરોજ રાત્રે જાહેર સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત ખંભાળિયાના આંગણે “આપણું ગામ આદર્શ ગામ” તેવા સંદેશા સાથે અહીંના જોધપુર ગેઈટ ચોકમાં આજે રાત્રે 8:30 થી 10:30 વાગ્યા સુધી યોજવામાં આવેલી સત્સંગ સભામાં જામનગર તથા સાળંગપુર બી.એ.પી.એસ.ના સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપસ્થિત રહેશે. આ સત્સંગ સભામાં ભજન સંતવાણી તથા વિશિષ્ટ વીડિયો ફિલ્મ દ્વારા પ્રેરક સંદેશ આપવામાં આવશે. આ વિશિષ્ટ ધર્મસભામાં સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે ખંભાળિયા બી.એ.પી.એસ. સત્સંગ મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.