ખંભાળિયાના રઘુવંશી પરિવાર દ્વારા કાલે રવિવારે બેઠકજીમાં માળા પહેરામણી ઉત્સવ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના રઘુવંશી સદગૃહસ્થ પરિવાર દ્વારા આવતીકાલે બેઠકજીમાં ધર્મોત્સવ ઉજવાશે,

ખંભાળિયાના અગ્રણી વેપારી અને પીઢ રઘુવંશી આગેવાન સ્વ. પ્રાણજીવનભાઈ હિંડોચા (ચનાશેઠ) પરિવાર દ્વારા આવતીકાલે રવિવારે ખંભાળિયાની સુવિખ્યાત મહાપ્રભુજીની બેઠકજી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આવતીકાલે રવિવારે માળા પહેરામણી તથા શ્રીયમુના મહારાણીજીની લોટી ઉત્સવ અને બપોરે મહાપ્રભુજીની બેઠકજી ખાતે મનોરથના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જેમાં વસંતરાયજી મહારાજ (મથુરા-પોરબંદર) ખાસ ઉપસ્થિત રહેનાર છે. આયોજનમાં સહભાગી થવા ગં.સ્વ. જયશ્રીબેન પ્રાણજીવનભાઈ હિંડોચા પરિવાર દ્વારા નિમંત્રિતોને અપીલ કરવામાં આવી છે.