દ્વારકા નજીકના દરિયામાં પરપ્રાંતિય આધેડનું અપમૃત્યુ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાના રૂપેણ બંદર ખાતે રહેતા મલ્યા પલ્લી રામારાવ ઉર્ફે સતિષ વેંકટેશુ નામના 50 વર્ષના આધેડને રૂપેણ બંદર ખાતે દરિયામાં તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગેની જાણ હારુન ફકીરાભાઈએ સ્થાનિક પોલીસને કરી છે.