સાર્થક શ્રદ્ધાંજલિ : અપમૃત્યુ પામનાર પાંચ તરુણોની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો

ભાણવડ સહયોગ ગ્રુપ અને પોલીસ પરીવાર દ્વારા આયોજન

(રિશી રૂપારેલિયા)દ્વારકા : ધૂળેટી દિવસે નદીમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર પાંચ તરુણોને શ્રદ્ધાંજલિ આપવા ભાણવડ સહયોગ ગ્રુપ અને પોલીસ પરીવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધૂળેટીના પર્વએ એક સાથે પાંચ-પાંચ તરૂણોના નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યાની હૈયુ હચમચાવી દેનાર ઘટના બાદ પાંચેય મૃતક તરૂણોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા ભાણવડ સહયોગ ગ્રુપ અને પોલીસ પરીવાર દ્વારા યોજવામાં આવેલ હતો. રક્તદાન કેમ્પમાં માતબર કહી શકાય એવુ ૨૭૦ બોટલ જેટલું રક્ત સ્વયંભૂ એકત્ર થયેલ હતું. આમ, અપમૃત્યુ પામનાર પાંચ તરુણોની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજી સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ હતી.