ખંભાળિયામાં સ્વામિનારાયણ સત્સંગ સમારોહ યોજાયો

શહેર ભાજપના આગેવાનો દ્વારા સ્વામીઓનું સન્માન કરાયું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં શહેર ભાજપના આગેવાનો દ્વારા સ્વામીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રમુખ સ્વામી મહારાજના હાલ ઉજવવામાં આવી રહેલા જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે ખંભાળિયામાં જોધપુર ગેઈટ ચોક ખાતે શનિવારે રાત્રે સત્સંગ સમારોહ યોજાયો હતો.જેમાં ખાસ ઉપસ્થિત રહેલા સંત વિરાગકુશલ સ્વામી અને સંત નિજાનંદ સ્વામીનું ખંભાળિયા શહેર ભાજપ દ્વારા સન્માન કરી આગેવાનોએ આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, ઉપપ્રમુખ હસુભાઈ ધોળકિયા અને મુકેશભાઈ કાનાણી સાથે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.