ખંભાળિયામાં શહેર ભાજપ દ્વારા “મન કી બાત” અંગેનો સમૂહ કાર્યક્રમ યોજાયો

( કુંજન રાડિયા) જામ ખંભાળીયા : ખંભાળિયા શહેર ભાજપ દ્વારા તાજેતરમાં વોર્ડ 1 મા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 87 મી “મન કી બાત” સાંભળવાનો કાર્યક્રમ અત્રે પઠાણ પાડા ખાતે યોજવામાં આવ્યો. જેમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવતા લોકોને અને પર્યાવરણ બચાવતા લોકોને પ્રોત્સાહિત કરી,તમામ ધર્મના આવતા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં વોર્ડ નં. 1 ના કોર્પોરેટર અને ઉત્સાહી સદસ્ય ઈમ્તિયાઝખાન લોદિન અને રવિરાજસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, સમસ્ત મુસ્લિમ જમાતના પ્રમુખ હુસેનભાઈ ભોકલ, અલ્લારખા રૂંજા,જીતુભાઈ થોભાણી,મંગાભાઈ ગઢવી, અલીભાઈ રૂંજા,હકાભાઈ મહારાજ,મામદભાઈ બરક્ત ખાન,મેહબુબખાન સહિતના હિન્દુ- મુસ્લિમ આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.