કલ્યાણપુર નજીક કારની અડફેટે યુવાન ઘવાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : કલ્યાણપુરથી આશરે 24 કિલોમીટર દૂર રણજીતપુર ગામ પાસેથી ચાલીને જઈ રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોરસલ ગામના રહીશ જયદીપ હરજીભાઈ સોળમિયા નામના 18 વર્ષના યુવાનને આ માર્ગ પરથી અને બેફિકપૂર્વક જઈ રહેલી જી.જે. 06 એફકે. 2576 નંબરની મારુતિ સુઝુકી મોટરકારના ચાલકે ઠોકરે લેતા તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત જયદીપના પિતા હરજીભાઈ સવજીભાઈ સોળમીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મારુતિ કારના ચાલક સામે ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.