સલાયામાં લોહાણા મહાજન દ્વારા 17મીએ રક્તદાન કેમ્પ

બેઠકજીના મુખ્યા પરિવારના સદગત માતા-પુત્રીને શ્રદ્ધાંજલિ આપવા આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : સલાયાથી નજીક આવેલ શ્રી જમુનેશ મહાપ્રભુજી બેઠકના મુખ્યા પરિવારના રીટાબેન ગોકલદાસ જોશી તથા અંજલિબેન ગોકલદાસ જોશી માતા-પુત્રીનું સુરેન્દ્રનગર નજીક માર્ગ અકસ્માતમાં અવસાન થયેલ હતું. સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સલાયા લોહાણા મહાજન દ્વારા તારીખ 17.4.’22 ને રવિવારના રોજ સલાયા લોહાણા મહાજન વાડીએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

સલાયા ગામમાં તા. 17ને રવિવારનાં રોજ લોહાણા મહાજન વાડીમાં સવારે 9થી 12ના સમયે રાખવામાં આવેલ છે. રક્તદાનનો મુખ્ય હેતુ સલાયાથી 5 કી.મી ના અંતરે આવેલ શ્રી જમુનેશ મહાપ્રભુજી બેઠકના મુખ્યા પરિવારના રીટાબેન જોશી તથા અંજલી જોશીનું સુરેન્દ્રનગર નજીક મોટર અકસ્માતમાં મોત થયેલ હોવાથી સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રક્તદાતાઓ રક્તદાન કરવા માટે ઉમટી પડે તેવી સલાયા લોહાણા મહાજન પ્રમુખ તરફથી અપીલ કરવામાં આવેલ છે.