દ્વારકાના આરંભડામાં ખાડામાં પડેલી ગૌમાતાને ગૌશાળાના સભ્યો અને નગરપાલિકાના કર્મચારીઓએ બહાર કાઢી જીવતદાન આપ્યું

(રીશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકાના આરંભડા વિસ્તારની સોસાયટીમા ખાડામાં પડેલી ગૌમાતાને ગૌશાળાના સભ્યો અને નગરપાલિકાના કર્મચારીઓએ બહાર કાઢી જીવતદાન આપ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના આરંભડા વિસ્તારની સોસાયટીમા એક ગૌમાતા ખાડામા પડી જતા માધવ ગૌશાળાના સભ્યો અને નગરપાલિકાના કર્મચારીઓએ સાથે મળીને ખાડામાથી ગૌમાતાને હેમખેમ બહાર કાઢવામા આવી હતી.