ઓખામાં ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા 10મીએ શ્રીરામ જન્મોત્સવ અને વિરમભા આશાભા માણેક જન્મજયંતિ ઉજવાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા આગામી તા. 10ના રોજ શ્રીરામ જન્મોત્સવ અને વિરમભા આશાભા માણેક જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ નોમ (રામનવમી) તા.10/04/2022 ને રવિવારે “શ્રીવ્યોમાણી ધામ” ઓખા ખાતે ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા શ્રીરામ જન્મોત્સવ અને વિરમભા આશાભા માણેક જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે. સવારે 9 કલાકે કાર્યક્રમનો શુભારંભ થશે. 12/30 કલાકે પ્રભુ પ્રસાદી અને
4 કલાકે શ્રીરામની શોભાયાત્રા નીકળશે. આ કાર્યક્રમમાં પધારવા ક્ષત્રિય વાઘેર સમાજનાં પ્રમુખ પબુભા માણેકે આમંત્રણ પાઠવેલ છે.