ખંભાળિયાના સલાયામાં ચૈત્રી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ

અતિથિઓનું સન્માન કરાયું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા લોહાણા મહાજન અને સલાયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રી બહેનો માટે ઉજવાઈ રહી છે. આ નવરાત્રિમાં પ્રથમ દિવસે શનિવારે ખંભાળિયાના સી.પી.આઈ. ખુશ્બુબેન જાની, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, નગરપાલિકા ચેરમેન હીનાબેન આચાર્ય, રઘુવંશી મહિલા મંડળ પ્રમુખ જેમિનીબેન મોટાણી અને સલાયા મરીન પોલીસ પી.આઈ. ડાંગર વિગેરે ખાસ ઉપસ્થિત હતા.

સર્વે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી, આ નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોનું સલાયા રઘુવંશી અગ્રણી તેમજ શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા ભાગવત ગીતા અર્પણ કરી સ્વાગત-સન્માન કરાયું હતું.

જેમાં સલાયા બ્રહ્મસમાજ અગ્રણી મોહનભાઈ વ્યાસ, રઘુવંશી અગ્રણી મનુભાઈ પંચમતિયા, રાજપૂત સમાજના રવિરજસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ દ્વારા ઉપસ્થિત રહેલા આગેવાનો, નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.