ખંભાળિયા પંથકની સગીરાનું અપહરણ: બારાના શખ્સ સામે ફરિયાદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા પંથકમાં રહેતા એક પરિવારની સતર વર્ષ, છ માસની વયની સગીર પુત્રીને દખણાદા બારા ગામે રહેતો લાલુભા પ્રવિણસિંહ જાડેજા નામનો શખસ બદકામ કરવાના ઈરાદાથી લલચાવી, ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવી છે.

આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.