ખંભાળિયામાં વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વેદાંતા કંપની દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં વેદાંતા કંપનીના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. જેમના દ્વારા રક્તદાન કરી, વિશ્વ આરોગ્ય દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

આ કેમ્પમાં એકત્રિત થયેલુ 30 બોટલ રક્તદાન ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અર્પણ આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેદાંતા ગ્રુપ અને સિક્યુરિટી સ્ટાફ સહીત તેના પ્લાન્ટના અન્ય સ્ટાફ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની સુંદર ઉજવણી કરવામાં આવી હતી.

રક્તદાતાઓ અને કેમ્પમાં સેવા આપનાર તમામને વેદાંતા ગ્રુપ દ્વારા સ્મૃતિભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. વેદાંતાના પદાઅધિકારીઓ દ્વારા દરેક રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.