દ્વારકાના શિવગંગા ટ્રસ્ટ તથા ત્રણબતી ચોક પરિવાર દ્વારા રામનવમી ઉજવાશે

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકાની સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ત્રણબતી ચોક પરિવાર દ્વારા શ્રીરામના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

દ્વારકાના ત્રણબતી ચોકમાં આવેલ રામસ્તંભ-રામ મંદિરે શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ત્રણ બતી ચોક પરિવાર દ્વારા સવારે ૧૦:૦૦ વાગ્યે

શ્રીરામ પૂજન રાખેલ છે તેમજ સાથે પ્રસાદી રૂપે છાશનું વિતરણ રાખેલ છે. અને બપોરે ૧૨:૦૦ વાગ્યે શ્રીરામ જન્મ સમયે શ્રીરામની આરતીનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ધર્મપ્રેમી લોકો સામેલ થઈ શ્રીરામ જન્મની ઉજવણીમાં સહભાગી થવા ત્રણ બતી ચોક પરિવાર વતી શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના ઈશ્વરભાઈ ઝાખરિયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.