જામ ખંભાળિયા : કિશોરચંદ્ર માધવજીભાઈ કાનાણીનું અવસાન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: માધવજીભાઈ પ્રેમજીભાઈ કાનાણી (બજરીયા) ના પુત્ર કિશોરચંદ્ર કાનાણી (ઉ.વ. 79) તે બાબુભાઈ- હરિભાઈના નાનાભાઈ તથા કૌશલભાઈ, રૂપલબેન કૌશિકકુમાર સાતા (મુંબઈ), કોમલબેન ધર્મેશકુમાર કટારીયા (રાજકોટ) અને અવનીબેન સમીરકુમાર પલાણ (વાપી) ના પિતાશ્રી તેમજ ગુલાબભાઈ મોરઝરીયાના જમાઈ તારીખ 7 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા આજરોજ શુક્રવારે સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.