(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ચૈત્રી નવરાત્રીની ખંભાળિયા તાલુકાના સલાયા પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા ચૈત્રી આઠમને શનિવારના રોજ રાત્રે માતાજીની પ્રાચીન ગરબીની ફરતે 1111 દિપના સુંદર અને અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સલાયા પંથકમાં આ પ્રકારના અલૌકિક દર્શન પહેલીવાર યોજવામાં આવ્યા છે. આ દર્શનનો લાભ લેવા સમસ્ત ધર્મપ્રેમી જનતાને આયોજક તન્ના પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાની સગીરાના અપહરણકારોને રાજસ્થાનથી શોધીને દબોચી લેવાયા: આરોપીઓ રિમાન્ડ પર
સગીરાના પરિવારના રૂપિયા 10.35 લાખના દાગીના પણ કબજે : મદદગારી કરનાર દંપતી સુરતથી ઝડપાયું (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક પરિવારની...
ભાણવડમાં વિર માંગળાવાળાની પુણ્યતિથિ નિમિત્તે યજ્ઞ અને લોકડાયરો યોજાશે
(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે વિર માંગળાવાળાની પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 12ના રોજ યજ્ઞ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. વિર માંગળાવાળાની...
દ્વારકા જિલ્લામાં ભાજપ કાર્યાલય માટે સહાયનો ધોધ: પાંચ દાતાઓ દ્વારા રૂ. 51 લાખનો ફાળો
ભૂમિ પૂજન પ્રસંગે પંચકુંડી ગાયત્રીયજ્ઞ યોજાયો જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં થનાર છે. ત્યારે આશરે રૂપિયા...