કલ્યાણપુરના રાણ ગામે સામાન્ય બાબતે બઘડાટી બોલાવતા શખ્સ સામે ફરિયાદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા અને વાણંદકામનો વ્યવસાય કરતા મનુભાઈ જીવનભાઈ રાઠોડ નામના 45 વર્ષના યુવાનની દુકાને આ જ ગામનો કારૂ સાજણ મોવર નામનો શખ્સ બાલ-દાઢી બનાવવા જતાં દુકાનદાર મનુભાઈ રાઠોડએ “થોડી વાર પછી કરી આપીશ”- તેમ કહેતા આ બાબતનો ખાર રાખી અને કારૂ સાજણ મોવરએ મનુભાઈની દુકાનમાં અપપ્રવેશ કરી ફરિયાદી મનુભાઈના ભાઈને બિભત્સ ગાળો કાઢી, માર માર્યાની તથા દુકાનનામાં તોડફોડ કરી અને નુકસાન કરવા ઉપરાંત લોખંડના પાઈપ વડે મનુભાઈ રાઠોડના ઘરની બહાર તેમને પાઈપ વડે બેફામ માર મારતા મનુભાઈ રાઠોડને ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આમ, બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવાના આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે કારૂ સાજણ મોવર સામે આઈ.પી.સી. કલમ 326, 325, 323, 447, 427, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.