ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામ જન્મોત્સવની શોભાયાત્રા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે રવિવારે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે. આના અનુસંધાને અત્રે જોધપુર ગેઈટ, નગર ગેઈટ, શારદા સિનેમા રોડ, રોકડીયા હનુમાનજી વિસ્તાર, તાલુકા પંચાયત કચેરી રોડ, વિગેર વિસ્તારની આશરે 700 જેટલી દુકાનો અને ઓફિસ ખાતે રૂબરૂ જઈને મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં રામ ભક્ત ઈન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઈ કાનાણી, ભવ્ય ગોકાણી, સુરપાલસિંહ ચુડાસમા, સહિતના કાર્યકરો જોડાયા હતા.