ઝેરી દવા પીધા બાદ ગુંદલા ગામના આધેડનું મૃત્યુ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના ગુંદલા ગામના વાડી વિસ્તારમાં રહેતા મેરામણભાઈ લખમણભાઈ ડાંગર નામના 50 વર્ષના આહીર આધેડની માનસિક પરિસ્થિતી સારી ન હોવાથી તેમણે તલમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.