ભાણવડના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડના સતવારા ચોક વિસ્તારમાં રહેતા ચંદુલાલ તુલસીદાસ ખાણધર નામના 64 વર્ષના સતવારા વૃદ્ધને હૃદયરોગ તથા કેન્સર સહિતની ગંભીર બીમારી હોય, તે દરમિયાન શનિવારે સવારે તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર નિતેશભાઈ ચંદુલાલ ખાણધરએ ભાણવડ પોલીસને કરી છે.