દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટોબરાવારા ડાડાના મંદિરે નૂતન ધ્વજારોહણ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે આવેલ જય શ્રી ટોબરાવારા વાછરા ડાડાના મંદિરે પુજા અર્ચના સાથે ધજા ચઢાવવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકોએ વાછરા ડાડાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમનાં મુખ્ય દાતા સલાયાના રઘુવંશી અગ્રણી અને સલાયા ભાજપ મહામંત્રી લાલાજીભાઈ ભુવા રહ્યા હતા.