મીઠાપુર પી.આઇ. દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ સાથે શાંતિ બેઠક યોજાઈ

આવતીકાલે યોજાનાર મહારેલી સંદર્ભે જરૂરી સૂચનો અપાયા

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જી. આર. ગઢવી દ્વારા શાંતિ મિટિંગ યોજાઈ હતી. જેમાં મહારેલી સંદર્ભે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આવતીકાલે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિનાં દિવસે ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા મહારેલી યોજવામાં આવશે. ત્યારે મીઠાપુર પી.આઈ. જી. આર. ગઢવી દ્વારા આ મહોત્સવ સમિતિ સાથે મીઠાપુર પોલીસ મથકે એક શાંતિ મિટિંગનું આયોજન કરી ચર્ચાવિચારણા કરી સૂચનો આપવામાં આવ્યા હતા. અને સમિતીએ પણ પોલીસને તમામ સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી.

વધુમાં, પી.આઇ. દ્વારા આગેવાનોને જાહેર રસ્તાઓ પર અવરજવર કરતા લોકોને મુશ્કેલી ન થાય તે માટે ટ્રાફિક ના થાય તે રીતે રેલી કરવાનું જણાવ્યું હતું. તેમજ સમિતીએ પણ ભીમ ભજનના કાર્યક્રમમાં આવવા પી.આઇ.ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.