રસ્તે રઝળતા ખુટીયાની અડફેટે ચડેલા દ્વારકાના યુવાનનું સારવાર દરમિયાન મોત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકામાં જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા બળવંતભાઈ જાદવભાઈ સપારા નામના 45 વર્ષના યુવાન ગત તારીખ 8 માર્ચના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના સમયે પોતાના ઘરેથી એકટીવા મોટરસાયકલ પર બેસી અને દૂધ લેવા જઈ રહ્યા હતા, ત્યારે થોડે દૂર સનાતન બસ સ્ટેશન પાસે પહોંચતા બેફામ બની ગયેલા એક ખુટીયા (બળદે) એક્ટિવા ચાલક બળવંતભાઈને અડફેટે લીધા હતા. જેથી ફેંકાઈ ગયેલા બળવંતભાઈ સપારાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની જાણ મૃતકના ધર્મપત્ની ગીતાબેન બળવંતભાઈ સપારાએ દ્વારકા પોલીસને કરી છે.