ખંભાળિયામાં કાલે રાત્રે સંતવાણી: શનિવારે મારુતિ હવનનું આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે સ્થિત વાડી વિસ્તારમાં સ્થાનિક રહીશો તથા સ્વયં સેવકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત પીપળીયા ગામે મોજીલા હનુમાન દાદાના મંદિર ખાતે આવતીકાલે શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યે જાણીતા કલાકાર કલાકારો સાથેનો સંતવાણી ડાયરાનો કાર્યક્રમ તથા શનિવાર તારીખ 16 ના રોજ સવારે 8:30 વાગ્યે મારુતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.