ખંભાળિયામાં અમૃત મહોત્સવ સંદર્ભે યાત્રાનું સન્માન કરાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં સ્વતંત્ર સેનાનીઓના સન્માન રૂપે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે યાત્રા ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ સાથે ગામના યુવાનો દ્વારા બાઇક સાથે યાત્રાના સહભાગી થયા હતા. આ રેલીમાં ખંભાળિયા તાલુકાના દાતા ગામ ખાતે પ્રશાંત કોરાટનું પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને આગેવાનો દ્વારા તલવાર અને ભગવાન શ્રીકૃષ્ણની છબી આપી, સ્વાગત- સન્માન કરવામાં આવ્યું હતું.