મીઠાપુરમાં ડો. આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રેલી યોજાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ હતી.

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન થયું હતું. આ રેલી આંબેડકર ભવનથી લઈ ઉદ્યોગનગર સુરજકરાડી ત્યારબાદ મીઠાપુર ઝંડા ચોક વગેરે માર્ગો ઉપર ફરી અને રેલી સમાપ્ત કરવામાં આવી હતી. જેમાં મીઠાપુરના નીડર અને બાહોશ તથા ખૂબ જ સારી એવી કામગીરી ધરાવતા પી.આઈ. જી.આર. ગઢવી તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ સારી એવી કામગીરી કરવામાં આવી હતી અને તેઓ ચુસ્ત બંદોબસ્ત સાથે રેલીમાં હાજર રહ્યા હતા.

જેથી, કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો નથી અને ખુબ જ શાંતિપૂર્વક અને સફળતાથી આ રેલીનું આયોજન સંપન્ન થયેલું હતું. જ્યારે આ રેલીમાં દલિત સમાજના યુવકો દ્વારા પી.આઈ. જી.આર. ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું અને અને મીઠાપુર પી.આઈ. તથા સમગ્ર પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.