કેર પરિવાર દ્વારા બેટદ્વારકાના મંદિર પર ધ્વજારોહણ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટદ્વારકામાં મંદિર ખાતે કેર પરિવાર દ્વારા ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 42 ગામના ક્ષત્રિય કેર વાઘેર સમાજ દ્વારા ચૈત્ર મહિનાની તેરસના દિવસે બેટ દ્વારકા ખાતે ધ્વજારોહણ કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કેર પરિવારના લોકો એકત્રિત થઇ ભગવાન શ્રીદ્વારકાધીશના ચરણમાં શીશ ઝુકાવી અને ધ્વજારોહણનો લાભ લીધો હતો તથા તમામે સાથે મળી પ્રભુ પ્રસાદી પણ સાથે લીધેલી હતી