દ્વારકામાં આવતીકાલે શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે વિહિપ દ્વારા શોભાયાત્રા અને મહાઆરતી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં આવતીકાલે શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારકા તાલુકા દ્વારા હનુમાનજીના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા અને પક્ષી તીર્થ, નાગેશ્વર રોડ, એડવેન્ટ સીનેમા સામે સાંજે ૭ વાગ્યે મહાઆરતીનું આયોજન તા. ૧૬-૦૪-૨૦૨૨ શનિવારના બપોરે ૪-૩૦ થી ૭-૩૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.

શોભાયાત્રાનુ પ્રસ્થાન હાઈવે રોડ, હાથી ગેઈટની બાજુમા, ખારાવારા હનુમાનજી મંદિરેથી જકાત નાકા અંદર, નવી ગૌશાળા, ભથાણ ચોક, મંદિર ચોક, જોધાભા માણેક ચોક, જુની નગરપાલિકા, ઈસ્કોન ગેઈટ, પક્ષી તીર્થે જઈ સાંજે ૭-૩૦ વાગ્યે સમાપન થશે. આ ધાર્મિક શોભાયાત્રામાં જોડાવવા તથા મહાઆરતીનાં દર્શન કરવા જાહેર આમંત્રણ અપાયું છે.