ખંભાળિયા શહેરની દિવાલો પર કમળનું પેન્ટિંગ કરાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર ભાજપ દ્વારા દરેક બુથમાં જુદી જુદી દિવાલો પર પાંચ કમળનું પેન્ટીગ કરાવવાનો પ્રારંભ અહીંના વોર્ડ નંબર 3 થી કરવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, વોર્ડ નંબર 3 ના પ્રભારી મુકેશભાઈ કાનાણી, કિશોરભાઈ નકુમ, હરેશભાઈ ભટ્ટ, રેખાબેન ખેતીયા, મેઘાબેન વ્યાસ, શારદાબેન કછટિયા, નિકુંજભાઈ વ્યાસ, દીપેશભાઈ ગોકાણી, ભીખુભા જેઠવા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને “દિલથી દિવાલ સુઘી કમળ…” ના સૂત્રને ચરિતાર્થ કર્યુ હતુ.