ઝેરી દવા પી લેતા ભાણવડના યુવાનનું મૃત્યુ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ભાણવડ ખાતે રહેતા હસમુખભાઈ રામજીભાઈ ચૌહાણ નામના 42 વર્ષના સતવારા યુવાનની અસ્વસ્થ માનસિક પરિસ્થિતિ વચ્ચે તેમણે તેમના ભાઈ ભાવિનભાઈ ચૌહાણની વાડી ખાતે ઝેરી દવા પી લેતાં તેમને સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલમાં અને ત્યાંથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાન મૃતકના ભાઈ ભાવિનભાઈ રામજીભાઈ ચૌહાણે સ્થાનિક પોલીસને કરી છે.