ઓમાનના દરિયા કિનારે સલાયાના વહાણમા અકસ્માતે આગ લાગી

 

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : ઓમાનના દરિયા કિનારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના વહાણમા અકસ્માતે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

આજે સવારે ઓમાનના ખસબ બંદર પર સલાયાનું માલવહક જહાજ સળગ્યું છે. જેમાં અંદાજીત 800 ટન કેપેસીટી ધરાવતું માલ વાહક જહાજમા અચાનક આગ લાગી છે. સલાયાનું અલ સાહે કલંદર નામના વહાણ આગ લાગતા ઓમાન ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. ઉલ્લેખનીય છે કે વહાણ માલિક સલીમ હાજી જુનસ સુંભણીયાની માલિકીનું હતું

.