દ્વારકા જિલ્‍લામાં નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા 30મીએ લેવાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2022-23 માટે ધોરણ-6 માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા શનિવાર તા. 30 એપ્રિલના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે લેવામાં આવશે. પરીક્ષાર્થીઓએ સાડા દસ વાગ્યે પરીક્ષા કેન્‍દ્ર પર હાજર થઇ જવાનું રહેશે.

આ અંગે જિલ્લાના કલ્યાણપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવ્‍યા મુજબ પરીક્ષાર્થીઓએ પોતાના એડમીટ કાર્ડ (પ્રવેશપત્ર) વહેલી તકે cbseitms.nic.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા. કોરોના મહામારીના લીધે પરીક્ષાર્થીઓના ફોર્મ જે-તે શાળાના આચાર્યના સહી-સીકકા વિના પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવ્‍યા હતા. તેથી પરીક્ષાર્થી હાલ જે શાળામાં અભ્‍યાસ કરતો હોય તે શાળાના આચાર્યના સહી-સીકકા સાથે પ્રવેશપત્ર પ્રમાણિત કરાવી લેવા અનિવાર્ય છે. પ્રવેશપત્ર પરીક્ષા પુરી થયે જમા કરી લેવામાં આવશે. જેથી ભવિષ્‍યના સંદર્ભ માટે એક ઝેરોક્ષ નકલ અગાઉથી જ સાચવીને રાખવા વધુમાં જણાવાયું છે.