ખંભાળિયા નજીક પીધેલા કારચાલકે સર્જ્યો અકસ્માત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા- દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર કુવાડિયા ગામના પાટિયા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા મુળ જામનગરના રહીશ અને હાલ કુવાડિયા ખાતે રહેતા નિલેશકુમાર પ્રવિણસિંહ ચૌહાણ નામના 38 વર્ષના શખ્સે તેની જી.જે. 10 સી.જી. 1193 નંબરની ઈક્કો મોટરકારને બેફિકરાઈપૂર્વક ચલાવી અને અકસ્માત સર્જતા આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે નિલેશ ચૌહાણ સામે આઈ.પી.સી. કલમ 279 તથા એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો છે.