ખંભાળિયા પંથકમાં વાતાવરણ પલટાયું: વાદળછાયો માહોલ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિતના જુદા જુદા વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. આજે સવારે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને વાદળોની જમાવટ વચ્ચે તાપમાનનો પારો નીચે ઉતરતા કાળઝાળ ગરમીથી લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.