લાલપરડાના દંપતીને માર મારી, ધમકી આપવા સબબ પોરબંદરના મહિલા સહિત ચાર સામે ફરિયાદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા કાનાભાઈ વિરમભાઈ ગોરાણીયા નામના 22 વર્ષના યુવાનની વાડીએ આવી અને પોરબંદર ખાતે રહેતા શાંતીબેન દેવશીભાઈ ભોગેસર, વિશાલ રાજાભાઈ કુછડીયા, નોંઘણભાઈ બોખીરીયા અને કાનાભાઈ મેર નામના શખ્સે “અગાઉના મનદુઃખનું સમાધાન કરવું છે”- તેમ કહી ફરિયાદી કાનાભાઈ ગોરાણીયા તથા તેમના પત્ની માયાબેનને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મહિલા સહિત ચારેય સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.