દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઇ.ની બદલી અમદાવાદ એ.સી.બી.માં થતા વિદાયમાન અપાયું

 

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઇ.ની બદલી અમદાવાદ એ.સી.બી. ખાતે થતા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું.

દ્વારકા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ સુધી સતત ફરજ બજાવી પ્રસંશનીય કામગીરી કરનાર પી.આઇ. પી. બી. ગઢવીની બદલી અમદાવાદ એ.સી.બી. ખાતે થતા પોલીસ સ્ટેશનમાં તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. તેમજ દ્વારકા પોલીસ સ્ટેશનનો ચાર્જ હાલ મંદિર સુરક્ષા સાંભળતા પૃથ્વીસિંહ પરમારને સોંપાયો હતો.