પતિ સાથેના મનદુઃખ બાદ ખંભાળિયાની નવપરણિતાએ ઝેરના પારખા કર્યા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં રહેતી અને મુસાભાઈ તારમામદભાઈ દેથા નામના મુસ્લિમ આધેડની 27 વર્ષીય પરિણીત પુત્રી જરીનાબેન મહમદભાઈ અબ્દુલભાઈ ધુઘાના લગ્ન આજથી આશરે એક વર્ષ પહેલા થયા હતા. જરીનાબેન છેલ્લા દસેક દિવસથી ઈદ કરવા માટે માવતરે આવી હોય, તે દરમિયાન તેણીને પતિ સાથે મનદુઃખ થતાં તેણીના મનમાં લાગી આવતા પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને વધુ સારવાર માટે જૂનાગઢની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મૂર્છિત અવસ્થામાં જ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા મુસાભાઈ તારમામદભાઈ દેથાએ ખંભાળિયા પોલીસને કરતા અહીંના ડીવાયએસપીના વડપણ હેઠળ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.