એસિડ પી લેતાં દેવરીયાના યુવાનનું મૃત્યુ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના દેવરીયા ગામે રહેતા મુકેશભાઈ રમેશભાઈ ગોહિલ નામના 26 વર્ષના યુવાને ગત તારીખ 19 ના રોજ સવારના સમયે પોતાના ઘરે પોતાની જાતે એસિડ પી લેતાં તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ ધરમ રમેશભાઈ ગોહિલે ખંભાળિયા પોલીસને કરી છે.