ભાટીયામાં આગામી રવિવારે નેત્ર નિદાન સારવાર કેમ્પ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે આગામી રવિવાર તારીખ 24 ના રોજ ભાટિયાના સરકારી દવાખાના ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લંડન (યુ. કે.) નિવાસી નિરંજનાબેન ચંદ્રવદન મોદીના (હ. મુકુંદભાઈ રસિકભાઈ સામાણી) ના સંપૂર્ણ આર્થિક સહયોગથી ભાટિયાના કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ તથા ખંભાળિયાની માનવ સેવા સમિતિ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર સવારે 9:30 થી 12:30 સુધી વિનામૂલ્યે યોજવામાં આવેલા આ કેમ્પમાં ઓપરેશનની જરૂર ધરાવતા દર્દીઓને આ જ દિવસે રાજકોટ ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં બસ દ્વારા લઈ જઈને ઓપરેશન કરી નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે.

દરેક દર્દીઓ માટે આવવા-જવાની તથા ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવી છે. આ કેમ્પનો વિશાળ પ્રમાણમાં દર્દીઓએ લાભ લેવા ભાટિયા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણી તથા ખંભાળિયા માનવ સેવા સમિતિ ખંભાળિયાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી અને ખંભાળિયા લાયન્સ ક્લબના પ્રમુખ મનસુખભાઈ નકુમ દ્વારા અપીલ કરવામાં આવી છે.