કલ્યાણપુર નજીક પવનચક્કીના કિંમતી કેબલની ચોરી

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : કલ્યાણપુરથી દૂર બામણાસા ગામ નજીક એક પવનચક્કીની કંપનીના ચોક્કસ લોકેશનમાં ઘૂસીને તારીખ 13 એપ્રિલના રોજ રાત્રીના સમયે કોઈ શખ્સોએ એલ્યુમિનિયમના મેઈન ગેટની ફ્રેમ તોડી અને તેમાં રૂપિયા 24,000 નું નુકસાન કરી, અંદર પ્રવેશી અને આ સ્થળે રહેલો રૂ. 30 હજારની કિંમતનો 50 કિલો વજન ધરાવતો 65 મીટર અર્થીગનો કેબલની ચોરી કરીને લઇ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

આ બનાવ અંગે નાવદ્રા ગામના છગનભાઈ મેઘાભાઈ મોરીએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.