ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા કલ્યાણપુરના ગૌભક્તોનું મામલતદારને આવેદન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની મામલતદાર કચેરી ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર મુકામે મામલતદાર ઓફીસે કલ્યાણપુર તાલુકાના ગૌભક્તો દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવા અને ગૌચર ખાલી કરવા માટે મોટી સંખ્યામાં ગૌભક્તો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં ગૌમાતા, ગૌવંશને કતલખાનાએ લઇ જતા અટકાવવા, ગૌહત્યા બંધ કરવા અને તેની કડક અમલવારી કરવા ગુજરાત સરકારને અપીલ કરી હતી. આ પ્રસંગે કલ્યાણપુર તાલુકાના મોટી સંખ્યામાં ગૌભક્તો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કડક અમલવારી કરવા સૂચવવામાં આવ્યુ હતું.