બળતા ઉનાળામાં ખંભાળિયાના નગરજનોને વિજ તંત્રના ડામ

વીજ ધાંધિયાથી નગરજનો ત્રસ્ત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં અવાર નવાર વીજ વિક્ષેપ તથા વોલ્ટેજ સહિતની સમસ્યાઓથી નગરજનોમાં રોષની લાગણી જોવા મળી છે.

ખંભાળિયાના જુદા-જુદા વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જવા તથા વોલ્ટેજની વધઘટને કારણે વિજ ઉપકરણોને નુકસાની થવાની દહેશત વચ્ચે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એટલું જ નહિ, પાવર કટ કે વિજ વોલ્ટેજ બાબતે પીજીવીસીએલને ફોન પર જાણ કરવામાં આવતા સામેથી ગ્રાહકોને લેખિત અરજી આપવાનો આગ્રહ રાખવામાં આવે છે. આ મુદ્દે અહીંના રહીશો દ્વારા વિજતંત્રને લેખિત રજૂઆતો કરી, હાલ કાળઝાળ ગરમીમાં આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે