ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિનો સમૂહ ભોજન સમારોહ ભવ્ય રીતે સંપન્ન

મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા: આયોજકોને સન્માનિત કરાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા જાણીતા રઘુવંશી સદગૃહસ્થ દત્તાણી પરિવાર દ્વારા બુધવારે રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લીધો હતો.

ખંભાળિયાના જાણીતા વૈભવ પાનવાળા ભાવેશભાઈ જેંતીલાલ દત્તાણી તથા રમણીકભાઈ જેંતીલાલ દત્તાણી પરિવાર દ્વારા ગત તારીખ 20 ના રોજ રાત્રે અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી ભાઈઓ તથા બહેનોના સમુહ ભોજન (નાત) કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બપોરે સારસ્વત માસ્તાન બ્રહ્મભોજન પણ કરાવવામાં આવ્યું હતુ.

આ સમૂહ પ્રસાદનો લાભ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લીધો હતો. આ આયોજન બદલ અનેક લોકો દ્વારા આયોજક દત્તાણી પરિવારનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું. લોહાણા મહાજનના વડપણ હેઠળ વિવિધ સંસ્થાના હોદેદારો, કાર્યકરો તથા સ્વયં સેવકોની જહેમતથી રંગેચંગે સંપન્ન થયેલા આયોજન સહભાગી થવા બદલ તમામ જ્ઞાતિજનોનો જાહેર આભાર આયોજક ભાવેશભાઈ દત્તાણી તથા રમણીકભાઈ દત્તાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.